ફોન, વિડિઓ અથવા વ્યક્તિગત રૂપે બાયરિયાટ્રિક / વજન ઘટાડવાનું મૂલ્યાંકન અને પરામર્શ
અમારી ટીમ સાથે નિઃશુલ્ક વિડીયો કન્સલ્ટેશન માટે અમને કૉલ કરો +91-8156078064 or +91-8469327630

જાણકારી સભર વીડિઓ

દર્દીના અનુભવોના વીડિયો ગુજરાતીમાં

એડ્રોઇટ જ કેમ ?

  • 15 કરતાં વધુ વર્ષોનો અનુભવ
  • બેરિયાટ્રિક સર્જરી પછીની કાળજીમાં શ્રેષ્ઠ
  • વિવિધ પાસાઓ (ડાયેટ અને ન્યુટ્રીશન, વ્યાયામ અને ફિજીયોથેરાપી, મનોવૈજ્ઞાનિક) ને મહત્વ આપવાનો દૃષ્ટિકોણ
  • નાનાં છિદ્રોવાળી/લેપ્રોસ્કોપીક સર્જરી
  • ઝડપી રિકવરી, નહીંવત્ત દુઃખાવો, અને સામાન્ય જીવન તથા પ્રવૃતિઓ પર જલ્દીથી પરત
  • સુરક્ષિત સર્જરી
  • એકંદર આરોગ્યની સાથે જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો દૃષ્ટિકોણ, નહીં કે માત્ર વજનનો ઘટાડો
  • સમર્પિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર
  • ઇન્સ્યોરન્સ અને કેશલેસ સુવિધા ઉપલબ્ધ

  • અમે સમજીએ છીએ કે મેદસ્વીતા એક એવો રોગ છે જે વ્યક્તિના શરીર, મન અને આત્માને અસર કરે છે. મેદસ્વીતાને કારણે કેટલીયે સમસ્યાઓ જેમકે માનસિક સમસ્યા, સામાજિક તથા ફાયનાન્સિયલ સમસ્યાઓ ઉદભવે છે. અને જીવનની ગુણવત્તાને અસર કરે છે.તે આયુષ્ય પણ ઘટાડે છે.આ દરેક સમસ્યાઓને દૂર કરવા માટે તથા કાયમ માટે વજન ઘટાડી આરોગ્યમાં સુધારો લાવવા માટે, એક વ્યાપક, વિવિધ પાસાઓ પર કામ કરવાવાળા દૃષ્ટિકોણની જરૂર હોય છે. મેદસ્વીતા અને તેને સંબધિત સમસ્યાઓનાં ઉપચાર માટેના દરેક પાસાઓમાં અમારી પાસે લાંબા સમયનો બહોળો અનુભવ છે.અમારી સાથે તમે નિશ્ચિંત રહી શકો છો કે તમે સુરક્ષિત અને નિષ્ણાત હાથોમાં છો.

      સર્જરી પહેલાં અને પછી ાં

      આહાર, પોષણ અને સર્જરી પછીના રિહેબિલિટેશનના વિડીયો

     

    અમારી ટીમ

    Dr-chirag-thakkar

    ડૉ ચિરાગ ઠક્કર

    ચીફ બેરિયાટ્રિક એન્ડ મેટાબોલિક સર્જન
    સીનીઅર GI, લેપ્રોસ્કોપીક એન્ડ બેરિયાટ્રિક કન્સલ્ટન્ટ
    Dr-Bhavin-Shah

    ડૉ. ભાવિન શાહ

    ચીફ બેરિયાટ્રિક એનેસ્થેટિસ્ટ
    Mrs.-Parul-Thakkar

    મિસિસ. પારુલ ઠક્કર

    ચીફ ડાયેટિશિયન એન્ડ બેરિયાટ્રિક કો-ઓડીનેટર
    Dr-Foram-Mehta

    ડૉ.ફોરમ મહેતા

    ફિજીયોથેરેપીસ્ટ એન્ડ રિહેબિલિટેશન એક્સપર્ટ
    Dr-Ishita-Samar-Gorasia

    ડૉ. ઇશિતા સમર

    ફીજીશીયન આસિસ્ટન્ટ

    બેરિયાટ્રિક/ વજન ઘટાડવાની સર્જરીના વિકલ્પો

    મેટાબોલિક અને મેદસ્વિતાની (બેરિયાટ્રિક) સર્જરીનો વ્યાપક અભિગમ

    પશ્ચિમી જીવનશૈલીને અનુસરતા આપણા સમાજમાં મેદસ્વિતાની સમસ્યા બેફામ બનતી જાય છે. મેદસ્વિતાને કારણે થતી અન્ય શારીરિક સમસ્યાઓ પણ ચિંતાજનક દરે વધી રહી છે. જેમાં ડાયાબિટીસ, હાઇપરટેન્સન, શ્વાસની સમસ્યાઓ જેવીકે અસ્થમા, sleep apnea, વ્યંધત્વ, વેરીકોઝ વેઇન, GERD, ઘૂંટણ અને કમરનાં દુઃખવાની સમસ્યા જેવાં કેટલાંક નામો લઈ શકાય. મેદસ્વીતા એ નિમ્ન કક્ષાનું જીવનધોરણ, ઘટેલું આયુષ્ય, અને વિવિધ પ્રકારના કેન્સર માટેનું મહત્વનું કારણ સાબિત થયેલ છે. આમ, મેદસ્વીતા એક જટિલ સમસ્યા છે જેમાં ખાસ સંભાળ અને સારવારની જરૂર છે. અમારૂ સેન્ટર મેદસ્વીતા માટેના દરેક પ્રકારના સારવારના વિકલ્પો પૂરા પાડે છે. જેમાં ઓબેસિટી અને બોડી ફેટ એનાલીસીસ, આહાર અને જીવનશૈલી વિષે કન્સલ્ટેશન, એન્ડોસ્કોપી પધ્ધતિ જેવી કે ગેસ્ટ્રીક બલૂન અને બેરિયાટ્રિક સર્જરી જેવી કે લેપ્રોસ્કોપીક ગેસ્ટ્રીક સ્લીવ, રૂ-એન-y ગેસ્ટ્રીક બાયપાસ(RYGB), મીની ગેસ્ટ્રીક બાયપાસ (MGB), ડાયાબિટીસની સારવાર માટેની સર્જરી જેવી કે સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી વિથ ઇલિયલ ઇન્ટરપોઝિશન કે જેને મેટાબોલિક સર્જરી પણ કહે છે. વજન ઘટાડવા માટેની સર્જરીના દર્દીની સંભાળના દરેક પાસાં માટે અમારી પાસે સમર્પિત ટીમ છે.

    LATEST FROM

    THE BLOG

    દર્દીઓ ડો.ચિરાગ ઠક્કર વિષે શું કહે છે

    Copyright @ 2019 All rights reserved.