8156078064
8469327630 SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar

ઈન્ગ્વાઇનલ હર્નિયા માટે ક્યો વિકલ્પ વધુ યોગ્ય : ઓપન કે લેપ્રોસ્કોપીક સર્જરી?

ઇન્ગ્વાઇનલ હર્નિયા, એ ઘણાં બધાં લોકોમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે. તેની સારવાર માટે સર્જરી જ એક માત્ર વિકલ્પ છે તેમાં કોઈ શંકા નથી.પરંતુ, દર્દીઓને મનમાં ઓપન સર્જરી અને લેપ્રોસ્કોપીક સર્જરીના વિકલ્પોમાંથી કયો વિલ્કપ પસંદ કરવો તે વિષે ઘણાં પ્રશ્નો અને શંકા હોય છે. અહીં આપણે બન્ને વિકલ્પોના ફાયદા અને ગેરફાયદા વિષે વિસ્તૃત ચર્ચા કરીશું. જેથી આપ તમારા માટે શ્રેષ્ઠ સર્જરીનો વિકલ્પ પસંદ કરી શકો કે જે તમારા માટે યોગ્ય હોય.

ઈન્ગ્વાઇનલ હર્નિયા: મૂળભૂત સમજ

ઇન્ગ્વાઇનલ હર્નિયા શું છે? ઇન્ગ્વાઇનલ હર્નિયા શા માટે થાય છે ?

ઇન્ગ્વાઇનલ હર્નિયા એ જાંઘના મૂળ (groin)ના સ્નાયુઓની ખામી છે, જેમાં થઈને તમારા પેટનો અંદરનો ભાગ ત્વચાની નીચે બહાર આવી જાય છે, જે ઢીમણું કે ગાંઠમાં પરિણામે છે. તે દરેક ઉંમરના પુરુષોમાં, બાળકો, યુવાન વયસ્કો અને વૃદ્ધોમાં સામાન્ય રીતે વધુ જોવા મળે છે. જાંઘના મૂળના સ્નાયુઓમાંના છિદ્રમાંથી શુક્રપિંડને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ તથા શુક્રપિંડથી શુક્રાણુનું વહન કરતી શુક્રવાહીની નળી પસાર થાય છે. આ કુદરતી છિદ્ર જ ખામી કે નબળાઈની જગ્યા છે.

Natural hole enlarges to form a large defect

વિવિધ કારણોસર આ છિદ્ર મોટું થતાં ખામી ઉદ્દભવે છે. તમારાં આંતરડા તે જગ્યાએથી બહાર આવી ત્વચાની નીચે ગોઠવાય છે જેથી તે ભાગ ઉપસેલો લાગે છે. શરૂઆતમાં આ ઉપસેલો ભાગ નાનો હોય છે અને ત્યારે જ ઉપસે છે જયારે તમારા પેટમાં દબાણ વધે છે. જેમકે તમને ખાંસી આવે, વજન ઉંચકતા હોવ, સંડાસ કે પેશાબ માટે જાવ. તે ચાલવા, દોડવા કે અન્ય પ્રવૃત્તિ કરતી વખતે પીડા પણ કરી શકે છે. ઘણી વખત તે પીડારહિત પણ હોય છે.

સમય જતાં તે કેવી રીતે આગળ વધે છે:

સમય જતાં આ સ્નાયુની નબળાઈ વધતી જાય છે અને પછી કોઈપણ જાતના દબાણ વગર પણ આંતરડા સરળતાથી બહાર આવી જાય છે. આથી, જયારે વ્યક્તિ ઊભી કે ચાલતી હોય ત્યારે ઊપસેલો ભાગ દેખાય છે અને સુઈ જાય ત્યારે પાછો અંદર ચાલ્યો જાય છે. આવી પરિસ્થિતિમાં જો તે સર્જરીથી ઠીક કરવામાં ન આવે, તો તે ખામી હજી વધે છે  અને આંતરડા આખો વખત બહાર જ રહે છે. આવા કિસ્સામાં તે ઉપસેલો ભાગ છેક વૃષણના નીચે સુધી જાય છે. સામાન્ય રીતે, જેમ જેમ તે મોટો થતો જાય તેમ તેમ પીડા અને અસ્વસ્થતા વધતી જાય.

મોટા હર્નિયા હોવા છતાં દર્દી અસ્વસ્થતા ન અનુભવતાં હોય તેવા કિસ્સા અસામાન્ય નથી. મોટે ભાગે આવું એ કારણસર થાય છે કે દર્દીએ તે અસ્વસ્થતાને સ્વીકારી લીધી હોય છે અને કેટલીક પ્રવૃતિઓ કરવાનું છોડી દીધું હોય છે. શક્ય તેટલી સર્જરી પાછી ઠેલવાનું તેમનાં અચેતન મનનું વલણ આ સ્વીકૃતિનું કારણ હોય છે. પરંતુ, આપણે સમજવું જોઈએ કે જયારે હર્નિયા મોટું હોય ત્યારે સર્જરી ટેક્નિકલી મુશ્કેલ બની જાય છે અને તેના પરિણામો પણ એટલાં સારાં હોતા નથી. આથી જ, અતિશય વૃદ્ધ વ્યક્તિ કે જેને થોડાં વર્ષોથી વધારે જીવવાની આશા નથી તે સિવાય, સર્જરીમાં વિલંબ કરવાનો કોઈ અર્થ નથી. હર્નિયા નાનું હોય ત્યારે જ સર્જરી કરાવી લેવી અને તેના શ્રેષ્ઠ પરિણામ મેળવવા તે ચોક્કસપણે વધુ સારું છે.

સર્જરીની રાહ જોતાં સમયે આપણી મુખ્ય ચિંતા

આ ઉપરાંત, આપણી મુખ્ય ચિંતા stragulation(લોહીની નળીઓ પરના દબાણને કારણે તે ભાગમાં લોહીનો પુરવઠો બંધ થવો) અને obstruction(અવરોધ)ની છે. આંતરડા જયારે આ ખામીવાળા ભાગમાં અટવાઈ જાય છે ત્યારે આવું થાય છે જેના કારણે આંતરડામાં ગેંગરીન થાય છે. જો કે આ ક્યારેક જ ઉદભવતી પરિસ્થિતિ છે, પરંતુ તેમાં ઇમરજન્સી સર્જરીની જરૂર પડે છે. જયારે આંતરડા અટવાઈ જાય ત્યારે જો આપણે ઝડપથી કાર્યવાહી કરીએ અને આંતરડામાં ગેંગરીન થાય તે પહેલાં સર્જરી કરીએ, તો પરિણામો હજી સારા હોય છે. પરંતુ, આવા સમયે, જો આપણે સર્જરી કરવામાં મોડા પડીએ, તો આપણે ગેંગરીન થયેલાં આંતરડાના ભાગને દૂર કરવાની જરૂર પડશે. અને સામાન્ય હર્નિયા સર્જરીની તુલનામાં આ સર્જરી ગંભીર બાબત બની જાય છે. સમયસર કાર્યવાહી કરીને આપણે તેને સરળતાથી ટાળી શકીએ છીએ.

સર્જરીનાં વિકલ્પો

Surgical options for inguinal hernia

ઇન્ગ્વાઇનલ હર્નિયા માટે સર્જરી જ સારવારનો એક માત્ર વિકલ્પ છે.પરંતુ, આપણી પાસે સર્જરીમાં વિકલ્પ છે. સર્જરીનાં વિકલ્પોમાં ઓપન સર્જરી તથા લેપ્રોસ્કોપીક સર્જરીનો સમાવેશ થાય છે. સર્જરી દરમ્યાન, સર્જન સ્નાયુની તે ખામીને સુધારે છે જેથી આંતરડા હવે બહાર આવી શકે નહીં. મોટાભાગની હર્નિયા સર્જરી દરમ્યાન, સુધારેલા સ્નાયુને ટેકો આપવા માટે અમે મેશ(જાળી)નો ઉપયોગ કરીએ છીએ.

ઇન્ગ્વાઇનલ હર્નિયા સર્જરી મેશ વગર પણ કરી શકાય છે, પરંતુ આવી સર્જરીમાં ફરીથી થવાની શક્યતા ઘણી વધારે હોય છે. આ કારણોસર, અમે આજના સમયમાં મેશ વગર હર્નિયા સર્જરીની સલાહ આપતા નથી. મેશ સુધારેલા સ્નાયુને વધારાની તાકાત આપે છે જેથી ફરીથી હર્નિયા થવાની શક્યતા ઘણી જ ઘટી જાય છે. બાળકો માટેની હર્નિયા સર્જરી આમાં અપવાદ છે. અમે બાળકો માટેની હર્નિયા સર્જરીમાં મેશનો ઉપયોગ કરતાં નથી.

ઓપન સર્જરી

Open Inguinal hernia surgery

ઓપન સર્જરીએ પરંપરાગત રીતે થતી સર્જરી છે, જેમાં જાંઘના મૂળ(groin) ભાગમાં 8-10 સેમી નો  ચીરો મુકવાની જરૂર પડે છે. જયારે તે યોગ્ય રીતે કરવામાં આવે ત્યારે તે ખુબ સારા પરિણામ આપે છે. તે જનરલ, કરોડરજ્જુ(spinal) તેમજ લોકલ એનેસ્થેસીયાથી કરી શકાય છે.ઓપન ઇન્ગ્વાઇનલ હર્નિયા સર્જરી નિયમિત રીતે લગભગ દરેક સર્જન દ્વારા કરવામાં આવતી હોય છે. તે સલામત અને વ્યાપકપણે ઉપલબ્ધ છે. ચાલો, આ પધ્ધતિના ફાયદા અને ગેરફાયદાની ટૂંકમાં ચર્ચા કરીએ.

ફાયદા 

  • તે લોકલ એનેસ્થેસિયાથી કરી શકાય છે. આથી, આપણે જનરલ એનેસ્થેસિયા ને લગતા જોખમને ટાળી શકીએ છીએ. ખુબ જોખમ હોય તેવા દર્દીઓ (કાર્ડિયાક બાયપાસ સર્જરી પછી, કિડની અથવા લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી, કિડની કામ ન કરતી હોય તેવા દર્દીઓ) માટે આ પસંદગીની પધ્ધતિ છે.
  • ખુબ મોટા હર્નિયા માટે આ ટેક્નિકલી સરળ (લેપ્રોસ્કોપીકની તુલનામાં) પધ્ધતિ છે.

ગેરફાયદા

  • લેપ્રોસ્કોપીક પધ્ધતિની તુલનામાં સર્જરી પછી દુઃખાવો લાંબા સમય સુધી રહેવાની શક્યતા વધુ છે.
  • લેપ્રોસ્કોપીકની તુલનામાં ઘાવને લગતી સમસ્યાઓ અને જોખમો વધુ હોય છે.
  • સંપૂર્ણ પીડારહિત નિયમિત પ્રવૃતિઓ શરૂ કરવામાં વધુ સમય લાગે છે.
  • બન્ને બાજુના હર્નિયા માટે, બન્ને જાંઘના મૂળમાં 8-10 સે.મી.નો ચીરો કરવો પડે છે. જયારે બન્ને બાજુ એકસાથે કરવામાં આવે છે, ત્યારે દુઃખાવો ઘણો વધારે હોય છે અને રિકવરી વધુ સમયે આવે છે.

લેપ્રોસ્કોપીક સર્જરી

સર્જરી ખુબ નાના કાણાં જેવાં કાપામાંથી કરવામાં આવે છે. સામાન્ય રીતે  3 કાપા, જેમાંથી એક 1 સે. મી. અને અન્ય 0.5  સે. મી.ના હોય છે. દર્દીની રિકવરી ખુબ ઝડપી અને સરળ હોવાં છતાં આ પધ્ધતિથી સર્જરી પોતે ટેક્નિકલી વધારે આવડત માંગે છે. આ જ કારણસર, આ પધ્ધતિનો વિકલ્પ ઓપન સર્જરી જેટલી વ્યાપકપણે ઉપલબ્ધ નથી.

સુધારેલા સ્નાયુની તાકાત અને સર્જરી પછીની પીડારહિત પ્રવૃતિઓ એ બન્ને દ્રષ્ટિએ આ પધ્ધતિ ઓપન સર્જરીની પધ્ધતિ કરતાં શ્રેષ્ઠ છે. પરંતુ, તેમાં યોગ્ય સર્જીકલ નિપુણતા અને કૌશલની જરૂર પડે છે, અન્યથા તે ખરાબ પરિણામ આપી શકે છે.

ફાયદા 

  • ખુબ ઝડપથી સામાન્ય પ્રવૃતિઓ પાછી શરુ કરવી. (અમારા માટે એવું જોવું સામાન્ય છે કે દર્દીને એ જ દિવસે હોસ્પિટલમાંથી રજા મળે, થોડાં જ દિવસોમાં કામ પર પાછા જાય, થોડાં જ દિવસોમાં જાતીય પ્રવૃતિઓ ફરીથી શરૂ કરવી અને થોડાં જ અઠવાડિયામાં રમતો સહિતની સામાન્ય પ્રવૃતિઓ પર સંપૂર્ણપણે પાછા ફરે)
  • એ જ 3 કાપાથી બન્ને બાજુ સર્જરી કરવામાં આવે છે .
  • જયારે બન્ને બાજુ એકસાથે કરવામાં આવે છે ત્યારે દુઃખાવામાં કોઈ વધારો થતો નથી અને  રિકવરીમાં પણ મોડું થતું નથી.
  • મોટી મેશ મુકવામાં આવે છે જે સ્નાયુની ખામીવાળા ભાગને વધુ સારી રીતે ઢાંકે છે. આથી, સુધારેલા સ્નાયુને વધુ  તાકાત મળે છે.

ગેરફાયદા 

  • જનરલ એનેસ્થેસિયાની જરૂર પડે છે. લોકલ એનેસ્થેસિયાથી થઈ શકતી નથી
  • ખુબ મોટા હર્નિયા માટે ટેક્નિકલી મુશ્કેલ. જો સર્જીકલ નિપુણતા અને કૌશલ્ય હોય તો જ મોટા હર્નિયા કરી શકાય.
  • આંતરડા અટવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિમાં આ પધ્ધતિથી સર્જરી શક્ય નથી.

Related Posts

ઇન્ગ્વાઇનલ હર્નિયા સર્જરીના વિકલ્પનો નિર્ણય કરવા માટેનાં મુખ્ય પરિબળો

દર્દી સંબન્ધિત પરિબળો

દર્દીના કેટલાંક પરિબળો સર્જરીની પસંદગીને અસર કરે છે. ઇન્ગ્વાઇનલ હર્નિયાને ઠીક કરવા માટે લેપ્રોસ્કોપીક સર્જરી ચોક્કસપણે શ્રેષ્ઠ છે. પરંતુ, કેટલાંક ચોક્કસ પ્રકારના દર્દીઓમાં આ ફાયદાઓ જનરલ એનેસ્થેસિયાના જોખમને લગતી સમસ્યાઓથી નકારવામાં આવે છે. આવાં દર્દીઓ માટે ઓપન સર્જરી પસંદ કરવામાં આવે છે કારણ કે તે લોકલ એનેસ્થેસિયાથી કરી શકાય છે.

દર્દીના પરિબળોમાં સમાવેશ થાય છે:

  • વયોવૃધ્ધ અવસ્થા ( 70-75  વર્ષ કરતાં વધુ ) અને એકંદરે નબળું આરોગ્ય
  • મોટી મેડિકલ તકલીફો (લીવર સિરોસિસ, કિડનીનું કામ ન કરવું, વધારે પડતી હ્રદયરોગની તકલીફ).
  • પહેલાંની પેટની સર્જરી (કેટલીક સર્જરી લેપ્રોસ્કોપીક સર્જરીને ટેક્નિકલી મુશ્કેલ બનાવે છે).
  • દર્દીની લોકલ કે જનરલ એનેસ્થેસિયા ટાળવા વિશેની વ્યક્તિગત પસંદગી

હર્નિયા સંબધિત પરિબળો

ઘણા હર્નિયા સંબધિત પરિબળો હર્નિયા સર્જરીના પ્રકાર વિષે નિર્ણય કરવામાં ખુબ મહત્વના હોય છે. કેટલાંક પરિબળોને લીધે ઓપન સર્જરી વધુ અનુકૂળ રહે છે જયારે અન્ય પરિબળોને લીધે લેપ્રોસ્કોપીક સર્જરી વધુ અનુકૂળ રહે છે.

  • એક બાજુ કે બન્ને બાજુ (જયારે હર્નિયા બન્ને બાજુ હોય ત્યારે લેપ્રોસ્કોપીક સર્જરી વધુ ફાયદાકારક હોય છે.)
  • ખુબ મોટા હર્નિયા (હર્નિયાની સાઇઝ અને સર્જનના કૌશલ્યને આધારે ઓપન સર્જરી વધુ પસંદગીપાત્ર છે.)
  • ફરીવાર થતા હર્નિયા (સામાન્ય રીતે જો અગાઉની સર્જરી ઓપન હોય તો લેપ્રોસ્કોપીક પધ્ધતિ પસંદ કરવામાં આવે છે અને જો અગાઉની સર્જરી લેપ્રોસ્કોપીક હોય તો ઓપન સર્જરી ટેક્નિકલી સરળ અને સલામત રહે છે.)

ઉપરની સમગ્ર ચર્ચાનો ભાવાર્થ

લેપ્રોસ્કોપીક ઇન્ગ્વાઇનલ હર્નિયા સર્જરી એ ઓપન સર્જરી કરતાં ચોક્કસ સારો વિકલ્પ છે. તેના કેટલાંક દેખીતાં જ ફાયદાઓ છે જેમકે ઓછી પીડા, ઝડપી રિકવરી,અને સામાન્ય પ્રવૃતિઓ વહેલી શરૂ થવી. જ્યારે દર્દી યુવાન હોય અને હર્નિયા બન્ને બાજુ હોય ત્યારે આ ફાયદા વધુ નોંધપાત્ર હોય છે.

દર્દીનો એક નાનો સમૂહ છે કે જેમનાં માટે ઓપન સર્જરી વધારે અનુકૂળ હોઈ શકે છે. તેમાં એવા દર્દીઓનો સમાવેશ થાય છે કે જેઓને જનરલ એનેસ્થેસીયાનું જોખમ ખુબ વધારે હોય છે જેમકે ગંભીર હ્ર્દય, ફેફસાં, લીવર અથવા કિડનીની સમસ્યા હોય. આવા દરેક દર્દીઓ માટે, લોકલ એનેસ્થેસિયા હેઠળ ઓપન સર્જરી એ ખુબ સલામત છે. આ ઉપરાંત ખુબ મોટા હર્નિયા અને અગાઉ લેપ્રોસ્કોપીક સર્જરી કર્યા પછી ફરીથી થતાં હર્નિયાના દર્દીઓ માટે ઓપન સર્જરી વધુ અનુકૂળ હોઈ શકે છે.

તમારી સ્વાસ્થ્ય યાત્રા તમારી વ્યક્તિગત યાત્રા છે. ભલે તમે નાના કે મોટા હર્નીયાથી પરેશાન હોવ, યોગ્ય તબીબી અભિગમ ઘણો બધો ફરક લાવી શકે છે. ડૉ. ચિરાગનો અભિગમ દર્દીને સમજ આપવી, ચોકસાઈ અને સહાનુભૂતિપૂર્વકની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. 

જો તમે અમદાવાદમાં શ્રેષ્ઠ હર્નિયા(સારણગાંઠ) માટેના નિષ્ણાત ડૉક્ટરની શોધ કરી રહ્યાં છો, તો એવા નિષ્ણાતની શોધ કરો કે જે દર્દી-પ્રથમ અભિગમ સાથે પોતાની તબીબી કુશળતાને જોડે. હર્નીયાથી રિકવર થવાનો તમારો માર્ગ તમારા સારવારના વિકલ્પોને સમજવા અને વિશ્વાસુ તબીબ સાથે કામ કરવાથી શરૂ થાય છે. તે માટે અમારો સંપર્ક કરો. માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો.

ADROIT ખાતે, અમારુ મુખ્ય લક્ષ્ય ફક્ત તમારા હર્નિયાને રિપેર કરવાનું નથી, પરંતુ સર્જરી પછી દર્દીના શ્રેષ્ઠ સંભવિત કાર્યક્ષમતાના સ્તરને પાછું લાવવામાં મદદ કરવાનું  અને અમારા દર્દીઓને ખૂબ જ સરળ અને આરામદાયક સર્જરીનો અનુભવ આપવાનું છે. જટિલ અને વારંવાર થતા હર્નિયા માટે લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરીના કિસ્સામાં પણ, દર્દીઓ સર્જરી પછી ઓછામાં ઓછા દુખાવા સાથે અને શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામ સાથે ઝડપથી સ્વસ્થ થાય છે.

તમે ડૉક્ટર ચિરાગ ઠક્કર સાથે વિડિયો કન્સલ્ટેશન બુક કરી શકો છો. એપોઇન્ટમેન્ટ નક્કી કરવા માટે +91-8156078064 / +91-8469327630 પર કૉલ કરો અથવા અમારો સંપર્ક કરો. 

કન્સલ્ટેશન માટે ADROIT સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સર્જરીની મુલાકાત લો.

કૃપા કરીને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. 

ડૉક્ટર ચિરાગ ઠક્કર ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવાની /બેરિયાટ્રિક સર્જરી કરી રહ્યા છે. GERD માટે સર્જરી, હાયટસ હર્નીયા અને મેદસ્વીતા તેમના રસ અને કુશળતાના મુખ્ય વિષયો છે. એસિડ રિફ્લક્સ/GERD સારવાર માટે, ADROIT ભારતમાં અગ્રણી કેન્દ્રોમાંનું એક છે, જે એક છત નીચે બધી સુવિધાઓ પૂરી પાડે છે. તેમને પિત્તાશય દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.

Dr. Chirag Thakkar
Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery

આપ અમારા બીજા લેખ પણ વાંચી શકો છો