મેડીક્લેમ અને કેશલેસ સુવિધા ઉપલબ્ધ

મુલાકાત સુનિશ્ચિત કરો +91-8156078064 or +91-8469327630

ક્લિનિક થી વળતો કોલ મેળવવા માટેની વિનંતી :

    CHOOSE LANGUAGE

     

    સર્જરી નો અંદાજિત ખર્ચ જાણવા માટે અમને કૉલ કરો

    મેડીક્લેમ અને કેશલેસ સુવિધા ઉપલબ્ધ

    video information

    પિત્તાશયની પથરીની સારવાર અને ઓપરેશન

    દર્દીઓ ના અનુભવ

    સારવાર

    સર્જરી શા માટે જરૂરી ?

    પિત્તાશયની પથરીની સર્જરીનું મુખ્ય લક્ષ્ય એવી સમસ્યાઓ /લક્ષણોની સારવાર કરવાનું છે કે જે તમે પથરીના લીધે સહન કરી રહ્યાં છો. તે ઉપરાંત પથરીથી ઉદ્દભવતી કેટલીક જટિલતાઓ /ગુંચવણો ઊભી ના થાય તે માટે પણ સર્જરી જરૂરી છે. આ જટિલતાઓ માંની કેટલીક જીવલેણ પણ હોય શકે છે.આપ એના વિષે વધુ આ પેજ પર વાંચી શકો છો

    લક્ષણો ના દર્શાવતી પિત્તાશયની પથરી

    સામાન્ય રીતે આ સ્થિતિ માં દર્દી ને માત્ર દેખરેખ હેઠળ રખાય છે. માત્ર અતિ જોખમ ધરાવતા દર્દીઓ (કે જેઓને પથરી સંલગ્ન જટિલતા ઉદ્દભવવાની શક્યતાઓ વધુ હોય ) ને જ સર્જરીની સલાહ આપવામાં આવે છે. આવા અતિ જોખમ ધરાવતા દર્દીઓ માં ડાયાબિટીસવાળા,કેમોથેરાપીની સારવાર હેઠળના અને રોગપ્રતીકારકતા વગરના (જેમકે HIV ગ્રસ્ત) નો સમાવેશ થાય છે

    લક્ષણો ધરાવતી પિત્તાશયની પથરી

  • લક્ષણો ધરાવતા દર્દીઓએ સર્જરી માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આવા દર્દીઓ માટે લેપ્રોસ્કોપિક (દૂરબીન થી થતી ) પિત્તાશયની સર્જરી દુનિયાભરમાં સ્વીકૃત સારવાર છે.
  • પથરી ઓગાળવાની સારવાર પિત્તાશયની પથરી માટે અસરકારક નથી અને તેના પરીણામ આધારભૂત નથી. આ તકલીફ ધરાવતા દર્દીઓ માં, મુળ સમસ્યા ખુદ પિત્તાશયમાં અને તેમના શરીરના મેટાબોલિઝમ મા હોય છે. અને એટલે જ સર્જરીમા ફક્ત પથરી કાઢવામાં નથી આવતી. આપણે આખું પિત્તાશય કાઢવાની જરૂર પડે છે. જો ફક્ત પથરી કાઢી ને પિત્તાશય એમજ રાખવામાં આવે, તો પથરી ફરીથી બની જશે.
  • ખોટી માન્યતા : પિત્તાશયની સર્જરીથી પાચનને અસર થાય છે

    સામાન્ય માન્યતાથી વિપરીત ,પિત્તાશય કાઢ્યા પછી ,પાચનમાં કોઈ બદલાવ આવતો નથી.ઓપરેશન પછી તમારા આહાર માં કોઈ ખાસ અંકુશ ની જરૂર નથી. તમારે એકસાથે વધુ પ્રમાણમાં ખાવાને બદલે ઓછા પ્રમાણમાં વધુ વખત ખાવાની જરૂર હોય છે. તમારે વધુ પડતા ચરબીયુક્ત, તીખું અને તળેલું ખાવાનું ટાળવાની જરૂર હોય છે . આ બધી આદર્શ આહારસંબંઘી સલાહો ,આપણે સૌએ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય સુધારવાના ભાગરૂપે અનુસરવાની હોય છે. સર્જરી પછી આપ બઘું જ પ્રમાણસર ખાય શકો છો.

    પિત્તાશયની પથરીની સર્જરી માટે એડ્રોઇટ જ શા માટે ?

    લેપ્રોસ્કોપિક સર્જરી ન્યુનતમ કાપકૂપવાળી સર્જરીની પદ્ધતિ છે. આમાં પેટની દીવાલમાં એક કરતાં વધુ નાના કાપા મૂકી , તેમાંથી નળીઓ અંદર ઉતારવામાં આવે છે. આ નળીઓ દ્વારા ઑપરેશન માટે જરૂરી સર્જીકલ સાધનો પાસ કરાય છે

    ઓપન સર્જરી લેપ્રોસ્કોપિક સર્જરીના લાભ :

    • ખુબ જ અનુભવી સર્જન
    • નવીનત્તમ ટેક્નોલોજીનો ઉપયોગ /લેપ્રોસ્કોપીક સર્જરી
    • ઓપરેશન પછી ઓછું દર્દ
    • ઝડપી રિકવરી અને સર્જરી પહેલાં જેવી કાર્યક્ષમતાની જલ્દી પુનઃપ્રાપ્તિ
    • ચેપની શક્યતા ઓછી
    • વધુ સારું કોસ્મેટિક પરિણામ
    • ઇન્સિઝનલ હર્નીયાની શક્યતા ઓછી

    અમારા વિષે

    એડ્રોઇટ ની સ્થાપના એક વ્યાપક,અત્યાધુનિક upper GI સેન્ટર કે જેમાં વિવિધ પ્રકારની પાચન સમસ્યાઓના યોગ્ય મૂલ્યાંકન સાથે દરેક દર્દીની જરૂરિયાતોને અનુરૂપ સારવારના વિકલ્પો પ્રદાન કરવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનાં ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. પરિણામે, અમે લાંબા ગાળાના અને સાતત્યપૂર્ણ પરિણામો પ્રદાન કરવા સક્ષમ છીએ. અમે એ જાણીને ખૂબ જ આનંદ અને ગર્વ અનુભવીએ છીએ કે અમે ભારતમાં પિત્તાશયની પથરી, GERD/એસિડ રિફ્લક્સ ની સારવાર અને હાયટ્સ હર્નીયા, અન્ય પ્રકારના હર્નીયા અને એકેલેસિયા કાર્ડિયાની સર્જરી માટેના શ્રેષ્ઠ સેન્ટર્સમાંના એક છીએ. અમે અત્યંત સંતુષ્ટ દર્દીઓની વિશાળ સંખ્યાના આધારે આ દાવો કરવા સક્ષમ છીએ કે જેઓ અમારી સારવારથી લાંબા ગાળાના ઉત્કૃષ્ટ પરિણામોનો આનંદ માણી રહ્યા છે.

    સમય:
    • સોમવાર થી શનિવાર :સવારે 10 થી સાંજે 6 સુધી

    15 થી વધુ વર્ષોનો બહોળો અનુભવ

    ડૉ ચિરાગ ઠક્કર પિત્તાશયની જટિલ સમસ્યાઓની સારવારનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે લેપ્રોસ્કોપીક પદ્ધતિથી પિત્તાશયની હજારો સર્જરી કરેલ છે. તેઓ બીજી જટિલ તથા અધતન લેપ્રોસ્કોપીક સર્જરીમાં પણ નિપૂણતા ધરાવે છે.

    પિત્તાશયની પથરી થી ઉદ્દભવતી કેટલીક સમસ્યાઓ (જટિલતાઓ)

    LATEST FROM

    THE BLOG

    ડૉ ચિરાગ ઠક્કર માટે દર્દીઓ નો શુ અભિપ્રાય છે

    Copyright @ 2023 All rights reserved. | Privacy Policy