8156078064
8469327630 SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar
pH Impedance test setup for GERD treatment monitoring

GERD/એસિડ રિફ્લક્સ અને અન્ય લાંબા સમયની પાચન સમસ્યાઓની સારવારમાં ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24-hr pH વીથ ઇમ્પિડન્સ સ્ટડીની ભૂમિકા

અનુક્રમણિકા:

ક્રોનિક GERD અને અન્ય અપર GIની મોટિલિટી(ગતિશીલતા)ની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય હોવા છતાં, અમદાવાદ, ગુજરાત માં 24-hr pH વીથ ઇમ્પિડન્સ સ્ટડી અને ઇસોફેજિયલ મેનોમેટ્રી પ્રત્યે જાગૃતિ અને સ્વીકૃતિ ઓછી છે. એટલી હદે ઓછી છે કે જે લોકો હાયટસ હર્નીયા અને GERD માટે સર્જરી કરાવવાનું આયોજન કરી રહ્યા છે તેઓ પણ સંપૂર્ણ મૂલ્યાંકન વિના સર્જરી કરાવવા તૈયાર હોય છે. આ લેખ ફક્ત લેપ્રોસ્કોપિક ફંડોપ્લિકેશન સર્જરી માટેના દર્દીઓ માટે જ નહીં,પરંતુ લાંબા સમયની અપર GI સમસ્યાઓ ધરાવતા તમામ દર્દીઓ માટે પણ ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડીના મહત્વ પર પ્રકાશ પાડે છે. આ ડાયગ્નોસ્ટિક મૂલ્યાંકન ટેસ્ટ GERD અને એકેલેસિયા જેવી સામાન્ય મોટિલિટી(ગતિશીલતા)ની સમસ્યાઓના નિદાનની પુષ્ટિ અથવા ખંડન કરે છે અને સમસ્યાના મૂળ અને કારણોની ઊંડી સમજ પણ પ્રદાન કરે છે, જે નોન-સર્જિકલ સારવાર માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

GERD/હાયટસ હર્નીયા સર્જરી પહેલાં અન્નનળીના મેનોમેટ્રી અને 24-hr pH વીથ ઇમ્પિડન્સ સ્ટડીની જરૂર છે, ભલે એન્ડોસ્કોપીમાં સ્પષ્ટપણે હાયટસ હર્નીયા અને રિફ્લક્સ ઇસોફેજાઈટિસ (અન્નનળીનો સોજો) દેખાય

24-hr-ph-impedance-study

આપણા મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે જો એન્ડોસ્કોપીમાં હાયટસ હર્નીયા અને રિફ્લક્સ ઇસોફેજાઈટિસ દેખાય છે તો આપણે સર્જરી કેમ ન કરી શકીએ? સર્જરી પહેલાં આ ટેસ્ટ કરાવવા શા માટે મહત્વપૂર્ણ છે? આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે, આપણે કેટલીક બાબતો સમજવાની જરૂર છે.

pH & Impedance Catheter used in GERD diagnosis

  • 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી વિના, આપણે GERDના નિદાનની ચોક્કસ પુષ્ટિ કરી શકતા નથી અથવા તેની ગંભીરતા નક્કી કરી શકતા નથી.
  • તમારા લક્ષણો એસિડ રિફ્લક્સને કારણે છે કે કેમ તે નક્કી કરવા માટે 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી જરૂરી છે. જો તમને 4-5 અલગ અલગ લક્ષણો હોય તો કેટલાક રિફ્લક્સને કારણે હોઈ શકે છે, જ્યારે અન્ય ફન્કશનલ સમસ્યા સાથે સંબંધિત હોઈ શકે છે. આ પરીક્ષણથી આપણે અનુમાન કરી શકીએ કે સર્જરીથી કયા લક્ષણોમાં સુધારો થવાની શક્યતા છે અને કયા લક્ષણો ચાલુ રહી શકે છે. આ ટેસ્ટના પરિણામોના આધારે,ચાલુ રહેલાં લક્ષણોને શ્રેષ્ઠ રીતે નિયંત્રિત કરી શકાય તે રીતે આપણે સર્જરી પછીની દવાઓનું આયોજન કરી શકીએ છીએ.
  • મેનોમેટ્રી અમને તમારા અન્નનળીના કાર્યનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે, જો જરૂરી હોય તો સર્જરીમાં ફેરફાર (જેમ કે રેપનો પ્રકાર) નક્કી કરવામાં માર્ગદર્શન આપે છે. આનાથી એકેલેસિયા કાર્ડિયા જેવી સમસ્યાઓને નકારી કાઢવામાં પણ મદદ મળે છે, જે ફન્ડોપ્લાઈકેશન સર્જરીથી એકદમ વિરુદ્ધ (જ્યાં સર્જરી ચોક્કસપણે ન કરવી જોઈએ) છે.
  • જ્યારે આપણે સર્જરી પહેલાં દર્દીઓના ટેસ્ટ કરીએ છીએ, ત્યારે સરેરાશ 10 માંથી 3 દર્દીઓ માટે સર્જરી અંગેનો નિર્ણય બદલાય છે. આ ત્રણ દર્દીઓ, જેમના પર સર્જરી ન કરવાનો નિર્ણય લેવામાં આવે છે તેમની જો અમે સર્જરી કરી હોત તો તેમના સારા પરિણામો ન આવ્યા હોત. આ ત્રણ દર્દીઓમાં આપણે સાચા નિદાન પર પહોંચીએ છીએ, તેથી આપણે સર્જરી કરવાને બદલે તેમની દવાઓ બદલીને તેમની અસરકારક રીતે સારવાર કરી શકીએ છીએ. આનાથી બિનજરૂરી સર્જરી પણ ટાળી શકાય છે.
  • સર્જરીથી અન્નનળી અને તેના વાલ્વની રચના(anatomy) અને કાર્ય(physiology)માં ફેરફાર થાય છે. પ્રિ-ઓપરેટીવ ટેસ્ટ, સર્જરી પહેલાની તમારી અન્નનળી અને વાલ્વની સ્થિતિનો મહત્વપૂર્ણ બેઝલાઈન પુરાવો છે. આ ટેસ્ટ તમારી સમસ્યાઓનો એક સારો પ્રાથમિક દસ્તાવેજ છે અને ભવિષ્યમાં સર્જરી પછી તમને કોઈ મોટી કે નાની સમસ્યાઓનો સામનો કરવો પડે તો તે સારવાર માટે માર્ગદર્શન આપશે. ભવિષ્યની કોઈપણ સમસ્યાઓને સમજવા અને ઉકેલવા માટે આ અમૂલ્ય બની શકે છે.

ક્રોનિક GERD અથવા જૂની પાચન સમસ્યાઓ ધરાવતા દર્દીઓમાં જેમને સર્જરીની કોઈ સ્પષ્ટ જરૂર નથી, તેમના માટે ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24-hr pH વીથ ઇમ્પિડન્સ સ્ટડીની જરૂરિયાત

Healthy vs. GERD esophagus showing reflux

ઘણા દર્દીઓ વર્ષોથી ક્રોનિક GERD અથવા GERD જેવી પાચન અને ગળાની સમસ્યાઓથી પીડાય છે પરંતુ તેમને યોગ્ય રાહત મળતી નથી. આમાંના ઘણા દર્દીઓના અપર GI એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, H.pylori માટે બાયોપ્સી, USG(સોનોગ્રાફી) અને ફેટી લીવર માટે ફાઇબ્રોસ્કેન જેવા રિપોર્ટ કરવામાં આવ્યા હોય છે. જો કે, આ પરીક્ષણો કરાવવાં છતાં, હજુ પણ ઘણા લોકોને લાગે છે કે સામાન્ય રીતે કરવામાં આવેલી GERDની સારવાર તેમના માટે કામ કરતી નથી.

આમાંના ઘણા દર્દીઓ કે જેમને હાર્ટબર્ન(છાતીમાં બળતરા), વધુ પડતા ઓડકાર, પાણી અથવા ખોરાકનું ઉપર આવવું, એપિગેસ્ટ્રિક અથવા છાતીમાં દુખાવો અથવા બેચેની, છાતીમાં ભારેપણું, ગળામાં બેચેની, ગ્લોબસ સેન્સેશન(ગળામાં કંઈક અટવાઈ ગયું હોય તેવું લાગવું), ચિંતા અને બેચેની જેવાં અપર GIના લક્ષણો હોય છે, તેમને ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી જેવા અપર GIના ટેસ્ટથી ફાયદો થશે.

ઇસોફેજીયલ મેનોમેટ્રી અને 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી ક્રોનિક GI સમસ્યાઓમાં નીચેની રીતે મદદ કરે છે:

Esophageal Manometry

  • જે લોકોને હાર્ટબર્ન (છાતીમાં બળતરા), વધુ પડતા ઓડકાર જેવા લક્ષણો હોય છે કે જે દવાથી નિયંત્રિત થતા નથી અને જેમની એન્ડોસ્કોપી લગભગ સામાન્ય હોય છે,
    • તેમને કાં તો ગંભીર રિફ્લક્સ હોઈ શકે છે (જે દવાઓથી સારી રીતે નિયંત્રિત નથી અને GERD માટે સર્જરીની જરૂર પડશે) અથવા
    • તેમને અન્નનળીની ફન્કશનલ સમસ્યાઓ હોઈ શકે છે જેમ કે ફન્કશનલ હાર્ટબર્ન અથવા અતિસંવેદનશીલ અન્નનળી (જેની સારવાર ફક્ત દવાઓથી થાય છે, પરંતુ આ દવાઓ ન્યુરોમોડ્યુલેટર છે અને એન્ટાસિડ્સ નથી).

    મેનોમેટ્રી અને pH સ્ટડી આ બે સ્થિતિઓને અલગ પાડવામાં મદદ કરે છે, જેનાથી સારવારની દિશા બદલાય છે. સમસ્યાની વધુ સચોટ સમજ અને યોગ્ય નિદાન સાથે, ઘણી લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો ઉત્તમ પરિણામો સાથે ઉપચાર કરી શકાય છે.

  • જૂની ગળાની તકલીફ અને ગ્લોબસ સેન્સેશન(ગળામાં કંઈક અટવાઈ ગયું હોય તેવું લાગવું) ધરાવતા દર્દીઓમાં ઘણીવાર ઉકેલ ના આવતાં લક્ષણો સતત લાંબા સમય સુધી ચાલુ રહે છે. આવા બધા દર્દીઓએ GERD છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે મેનોમેટ્રી અને 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડીના પરીક્ષણો કરાવવા જોઈએ. જો તમને GERD છે, તો તે કેટલું ગંભીર છે? શું તેમની ગળાની સમસ્યાઓ GERD ને કારણે થઈ હોઈ શકે છે? આપણે એ સમજવાની જરૂર છે કે ગળાની સમસ્યાઓના ઘણા વિવિધ કારણો છે, જેમ કે ક્રોનિક એલર્જી, વારંવાર વાયરલ ચેપ અને તમાકુ ચાવવાની કે ધૂમ્રપાનની આદત. તેથી, યોગ્ય સારવાર માટે GERD ના નિદાન અને ગંભીરતાની પુષ્ટિ કરવી મહત્વપૂર્ણ છે.
  • જે દર્દીઓને છાતીમાં ક્રોનિક અને વારંવાર દુખાવો, ધબકારા વધવા, શ્વાસ લેવામાં તકલીફ અને ચિંતા હોય છે, અને જેમના કાર્ડિયાક અને ફેફસાના રિપોર્ટ નોર્મલ હોય તેમને પણ મેનોમેટ્રી દ્વારા ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડીથી ફાયદો થવાની શક્યતા છે.

GERD અથવા અન્ય કોઈ અન્નનળીની મોટિલિટી(ગતિશીલતા)ની સમસ્યા ધરાવતા ઘણા દર્દીઓમાં આ લક્ષણો હોવાની શક્યતા રહે છે. ક્યારેક, રિફ્લક્સની ઘટનાથી,અન્નનળીના સ્નાયુઓમાં મરોડ અથવા reflex tachycardia( હૃદયના ધબકારા વધી જવાં) ટ્રીગર થાય છે અને યોગ્ય મૂલ્યાંકન દ્વારા આની પુષ્ટિ કરી શકાય છે. આવા દર્દીઓમાં આવા ક્રોનિક વણઉકેલાયેલા લક્ષણો સંપૂર્ણ મૂલ્યાંકન પછી યોગ્ય સારવારની રીતથી (દવાઓ, સર્જરી સાથે અથવા વગર, અને સ્ટ્રેસ મેનેજમેન્ટ) સાથે દૂર થવાની સંભાવના ખૂબ જ વધારે છે.

સાર

પાચન સમસ્યાઓનો અનુભવ કરતા દર્દીઓ માટે અહીં કેટલીક સલાહ છે:

જો તમે લાંબા સમયથી અપર GIને લગતી સમસ્યાઓથી પીડાતા હોવ, તો 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી અને ઇસોફેજિયલ મેનોમેટ્રીની ઉપલબ્ધતા અને મહત્વ વિશે જાણવું તમારા માટે ખુબ મહત્વપૂર્ણ છે. GERD (એસિડ રિફ્લક્સ) સહિત ઘણી લાંબા સમયની પાચન સમસ્યાઓ સામાન્ય છે, પરંતુ તેનું નિદાન કરવા માટે પરીક્ષણોનો ઉપયોગ ઘણીવાર અવગણવામાં આવે છે. જો તમે હાયટસ હર્નીયા અથવા GERD માટે સર્જરી કરાવવાનું વિચારી રહ્યા છો, તો આગળ વધતા પહેલા તમને ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી કરાવવાની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે.

24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી શા માટે કરવામાં આવે છે તે જાણવા માટે અમારો વિડિઓ જુઓ.

24-hr pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી કેવી રીતે હાથ ધરવામાં આવે છે તે જાણવા માટે અમારો વિડિઓ જુઓ.

તમારી સ્વાસ્થ્ય યાત્રા તમારી વ્યક્તિગત યાત્રા છે. ભલે તમે GERD/એસિડ રિફ્લક્સ, અને /અથવા IBSથી પરેશાન હોવ, યોગ્ય તબીબી અભિગમ ઘણો બધો ફરક લાવી શકે છે. ડૉ. ચિરાગનો અભિગમ દર્દીને સમજ આપવી, ચોકસાઈ અને સહાનુભૂતિપૂર્વકની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

જો તમે અમદાવાદમાં શ્રેષ્ઠ GERD, હાયટસ હર્નીયા, એસિડ રિફ્લક્સ, IBS કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ નિષ્ણાત ડૉક્ટરની શોધ કરી રહ્યાં છો, તો એવા નિષ્ણાતની શોધ કરો કે જે દર્દી-પ્રથમ અભિગમ સાથે પોતાની તબીબી કુશળતાને જોડે. હર્નીયાથી રિકવર થવાનો તમારો માર્ગ તમારા સારવારના વિકલ્પોને સમજવા અને વિશ્વાસુ તબીબ સાથે કામ કરવાથી શરૂ થાય છે. તે માટે અમારો સંપર્ક કરો. માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો.

તમે ડૉ. ચિરાગ ઠક્કર સાથે વિડીયો કન્સલ્ટેશન બુક કરાવી શકો છો. એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે, +91-8156078064 અથવા +91-8469327630 પર કૉલ કરો.

કન્સલ્ટેશન માટે એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ અને ઓબેસિટી સર્જરીની મુલાકાત લો.

અમારી સાથે જોડાયેલા રહેવા માટે કૃપા કરીને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.

ADROIT એ GERDની સારવાર માટેના થોડા કેન્દ્રોમાંનું એક છે જ્યાં GERD સારવાર માટે દરેક સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ છે. જ્યાં એન્ડોસ્કોપી, ઈસોફેજીઅલ મેનોમેટ્રી, 24 કલાક pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી સહિત દરેક મૂલ્યાંકન ટેસ્ટ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે અને જ્યાં સારવારમાં માત્ર સર્જરી જ નહીં પરંતુ લાંબા ગાળાના નિયમિત ફોલો-અપ સાથે ડાયેટ અને મનોવૈજ્ઞાનિક સહાયનો પણ સમાવેશ થાય છે, જેના પરિણામે અમારા દર્દીઓ માટે શ્રેષ્ઠ લાંબા ગાળાના પરિણામો પ્રાપ્ત થાય છે.

ડૉ ચિરાગ ઠક્કર એક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવાની બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી કરી રહ્યા છે. તેમના રસ અને કુશળતાના મુખ્ય ક્ષેત્રો GERD, હાયટસ હર્નીયા, એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન અને મેદસ્વિતા માટેની સર્જરી છે. જટિલ અને વારંવાર થતા હર્નિયાના કિસ્સામાં પણ લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી દર્દીઓને ઓછામાં ઓછા દુખાવા સાથે ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે અને સર્જરી પછી શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામો આપે છે. તેમને પિત્તાશયની પથરી દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.

Dr. Chirag Thakkar

Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery

Related Posts