8156078064
8469327630 SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar
Heartburn - Causes & Treatment

હાર્ટબર્ન /છાતીમાં બળતરા: કારણો, તપાસ, સારવાર

અનુક્રમણિકા:

હાર્ટબર્ન એટલે છાતીના વચ્ચેના ભાગમાં હાડકાની પાછળ થતી બળતરા. આ બળતરા ખોરાક લીધા પછી, સાંજે અથવા સૂતી વખતે કે વાંકા વળીએ ત્યારે વધે છે. ક્યારેક ક્યારેક છાતીમાં બળતરા થવી સામાન્ય છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મોટાભાગના લોકો જીવનશૈલીમાં ફેરફાર અને ઓવર-ધ-કાઉન્ટર દવાઓથી હાર્ટબર્નને જાતે જ નિયંત્રિત કરી શકે છે. પરંતુ જો હાર્ટબર્ન વારંવાર થાય અથવા તમારા રોજિંદા જીવનમાં અસર કરે છે, તો તે વધુ ગંભીર સ્થિતિ હોઈ શકે છે અને તે પરિસ્થિતિમાં તબીબી સહાયની જરૂર છે.

હાર્ટબર્ન/છાતીમાં બળતરાનું કારણ શું છે?

જ્યારે તમારા જઠરનો એસિડ તમારી અન્નનળીમાં પાછો જાય છે ત્યારે છાતીમાં હેરાન કરી મૂકે તેવી બળતરા થાય છે. આ બળતરા ઉપર તમારા ગળા સુધી પહોંચી શકે છે. તમને તમારા ગળાના પાછળના ભાગમાં કડવો અથવા ખાટો સ્વાદ પણ લાગી શકે છે. હાર્ટબર્ન થોડી મિનિટોથી લઈને કેટલાક કલાકો સુધી થઈ શકે છે, અને ઘણીવાર જમ્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. જો તમને વારંવાર હાર્ટબર્ન થતું હોય અને તે તીવ્ર હોય, તો તમને ગેસ્ટ્રોઈસોફેજીઅલ રિફ્લક્સ ડિસીઝ (GERD) હોઈ શકે છે. જો આવું હોય, તો તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

હાર્ટબર્ન અને તેને તીવ્ર બનવાના ઘણા કારણો હોઈ શકે છે. આમાં શામેલ છે:

ખાવાની આદતો

  • એક સાથે વધુ માત્રામાં ભોજન લેવું
  • ડુંગળી, ચોકલેટ, ફુદીનો, વધુ ચરબીવાળા ખોરાક, ખાટાં(સાઇટ્રસ) ફળો, લસણ, મસાલેદાર ખોરાક અને ટામેટાં અથવા ટામેટાંમાંથી બનતાં ખાદ્ય પદાર્થો જેવા ચોક્કસ ખોરાકનું વધુ પડતું સેવન કરવું
  • આલ્કોહોલ, ખાટાં(સાઇટ્રસ) જ્યુસ, કેફીનયુક્ત પીણાં અને કાર્બોનેટેડ પીણાં પીવું
  • જમીને થોડાં સમયમાં સૂઈ જવું

જીવનશૈલીની આદતો

  • ધૂમ્રપાન કરવું
  • ચુસ્ત કપડાં અને બેલ્ટ પહેરવા
  • તણાવ

તબીબી કારણો

  • હાયટસ હર્નિયા (જેમાં જઠર છાતીમાં આવી જાય છે)
  • ગેસ્ટ્રોઈસોફેજીઅલ રિફ્લક્સ ડિસીઝ (GERD)
  • વધુ પડતું વજન/ મેદસ્વીતા
  • ચોક્કસ દવાઓનો ઉપયોગ, ખાસ કરીને કેટલીક એન્ટી-ઇન્ફ્લેમેટરી દવાઓ અને એસ્પિરિન
  • ગર્ભાવસ્થા

હાર્ટબર્ન માટે ડૉક્ટરને ક્યારે મળવું?

આમતો, હાર્ટબર્ન સામાન્ય છે, તેમ છતાં તેના લીધે ક્યારેક વધુ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદ્દભવી શકે છે. અન્નનળીમાં સોજો અને તેનું સંકોચાય જવું, શ્વસન સમસ્યાઓ, સતત લાંબા સમયની ઉધરસ અને બેરેટ ઇસોફેગસ(એક પ્રકારનો અન્નનળીનું બ્લોકેજ) જેવી ગંભીર સમસ્યાઓ, તીવ્ર અને લાંબા સમયથી અવગણેલી હાર્ટબર્ન/GERD સમસ્યા સાથે સંકળાયેલા છે, જે આગળ જતાં અન્નનળીનું કેન્સર કરી શકે છે.

તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો:

  • તમને તીવ્ર અથવા વારંવાર છાતીમાં બળતરા થાય છે.
  • ગળવામાં તકલીફ અથવા દુખાવો થાય છે.
  • જો તમને સાથે ઉલટી પણ થાય છે અથવા ખોરાક ગળામાં અટકતો હોય તેવું લાગે છે.
  • તમારું વજન અણધાર્યું ઘણું ઘટી ગયું છે.
  • જો તમને બે અઠવાડિયાથી વધુ સમય માટે (અથવા લેબલ પર લખ્યું હોય તેના કરતાં વધુ સમય માટે) ઓવર-ધ-કાઉન્ટર એન્ટાસિડ્સ દવાની જરૂર પડી હોય અને હજુ પણ હાર્ટબર્નના લક્ષણો હોય
  • જ્યારે પ્રિસ્ક્રિપ્શન અથવા નોન-પ્રિસ્ક્રિપ્શન દવાઓ લીધા પછી પણ હાર્ટબર્નના લક્ષણો ચાલુ રહે છે.
  • જો તમને અવાજ બેસી જતો હોય અથવા ગળામાં સસણી બોલતી હોય(શ્વાસ લેતી વખતે ઘરઘરાટી જેવો અવાજ આવવો)
  • આ સમસ્યા તમારી જીવનશૈલી અથવા દૈનિક પ્રવૃત્તિઓમાં તકલીફ કરે છે.

હાર્ટબર્નનું નિદાન

શરૂઆતમાં, નિષ્ણાત ડૉક્ટર તમારા લક્ષણો પરથી એસિડ રિફ્લક્સ રોગનું નિદાન કરી શકે છે અને દવાઓ અને જીવનશૈલીમાં ફેરફારની સલાહ આપી શકે છે. ટેસ્ટ અને તપાસની જરૂર ત્યારે પડે છે , જયારે આપણે નિદાનની પુષ્ટિ કરવા અને સમસ્યાની ગંભીરતાનું મૂલ્યાંકન કરવા માંગીએ છીએ. સામાન્ય રીતે, જો તમને થોડા અઠવાડિયાથી વધુ સમય માટે દવાઓની જરૂર પડી હોય અથવા જો તમને દવાઓનો લેવાં છતાં રાહત ના થતી હોય તો એન્ડોસ્કોપીની ભલામણ કરવામાં આવે છે. આ પરીક્ષણ એ નક્કી કરવા માટે કરવામાં આવે છે કે શું તમારું હાર્ટબર્ન/ છાતીની બળતરા GERDનું લક્ષણ છે અને શું તેનાથી અન્નનળીમાં અલ્સર, સંકોચન(સ્ટ્રીક્ચર) કે બેરેટ ઇસોફેગસ જેવા કોમ્લીકેશન થયાં છે. આ પરીક્ષણો આપણને એ જાણવામાં પણ મદદ કરે છે કે શું સમસ્યા લાંબા સમય સુધી રહેશે અને લાંબા સમય માટે દવાની જરૂર પડશે. તમારા ડૉક્ટર નીચેના પરીક્ષણોની ભલામણ કરી શકે છે:

એન્ડોસ્કોપી

અપર GI એન્ડોસ્કોપી

આ પરીક્ષણ તમારા અન્નનળીમાં અસામાન્ય ફેરફારોની તપાસ કરવા માટે કરવામાં આવે છે. આ પહેલો અને સૌથી સામાન્ય ટેસ્ટ છે. એન્ડોસ્કોપી આપણને એ નક્કી કરવામાં મદદ કરી શકે છે કે અલ્સર છે કે નહીં, હાયટસ હર્નીયા છે કે નહીં, અને સ્ટ્રિકચર કે બેરેટના અલ્સર જેવી વધુ ગંભીર સમસ્યા છે કે નહીં. વિશ્લેષણ માટે બાયોપ્સીનો નમૂનો પણ લઈ શકાય છે.

એમ્બ્યુલેટરી 24 hour pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી

એમ્બ્યુલેટરી 24 hour pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી ટેસ્ટ જઠરમાંથી એસિડ ક્યારે અને કેટલા સમય માટે તમારા અન્નનળીમાં પાછું જાય છે તે માપવા છે. તમારા અન્નનળીમાં એક એસિડ મોનિટર મુકવામાં આવે છે જે એક નાના ઉપકરણ સાથે જોડાય છે જેને તમારી કમરની આસપાસ અથવા તમારા ખભા પર પટ્ટાથી પહેરાવવામાં આવે છે. આ ટેસ્ટ કેમ અને ક્યારે કરવું જોઈએ તે જાણવા માટે, નીચેનો વિડિઓ જુઓ.

આ ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે તે જાણવા માટે, નીચેનો વિડીયો જુઓ.

https://www.youtube.com/watch?v=S5CXxwtXwZY&t=4s

ઇસોફેજિયલ મેનોમેટ્રી ટેસ્ટ

આ તમારા અન્નનળીની ગતિ અને તેમાંનું દબાણ માપવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટ વાલ્વની નબળાઈ અને અન્નનળીની યોગ્ય કામગીરી વિશે માહિતી આપે છે. આ પરીક્ષણ વાસ્તવમાં 24 hour pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી ટેસ્ટનો એક ભાગ છે.

ઇસોફેજિયલ મેનોમેટ્રી કેમ અને ક્યારે કરવી જોઈએ તે જાણવા માટે આ વિડિઓ જુઓ

ઇસોફેજિયલ મેનોમેટ્રી કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માટે આ વિડિઓ જુઓ.

એક્સ-રે (બેરિયમ સ્વેલો)

તમારા અન્નનળી અને જઠરના આકાર અને સ્થિતિ જોવા માટે, બેરિયમ અથવા ડાઇ જેવા પ્રવાહીને ગળી ગયા પછી એક્સ-રે લેવામાં આવે છે. જોકે, આજે તેની ભૂમિકા મર્યાદિત બની ગઈ છે અને તેની ભલામણ માત્ર અમુક જ દર્દીઓમાં કરવામાં આવે છે, ખાસ કરીને જ્યારે સર્જરી જરૂરી હોય.

જીવનશૈલી અને ઘરેલું ઉપચાર

આપણે હાર્ટબર્નના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોઈ રહ્યા છીએ કારણ કે GERD અને એસિડ રિફ્લક્સ જીવનશૈલીના રોગો છે. તેથી જ, GERD અને એસિડ રિફ્લક્સની સારવાર સાથે જીવનશૈલીમાં ફેરફાર એ આ સમસ્યાને રોકવા અને સારા અને લાંબા ગાળાના પરિણામો મેળવવા માટે જરૂરી છે.

આ સમસ્યાની શરૂઆતના ઘણા કિસ્સાઓમાં, જીવનશૈલીમાં ફેરફાર સમસ્યાને પોતાની મેળે જ ઉકેલી શકે છે. પણ જ્યારે રોગ વધે છે, ત્યારે તમારે દવાઓ અથવા શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે. પરંતુ તેમ છતાં, તેના સારા પરિણામો માટે તમારે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે.

Related Posts

જીવનશૈલીમાં કેટલાક ફેરફારો જે હાર્ટબર્ન ઘટાડવામાં મદદ કરી શકે છે તેમાં શામેલ છે:

  • સ્વસ્થ વજન જાળવો. વધારે વજનથી તમારા જઠર પર દબાણ લાગે છે, જે તમારા જઠર ને ઉપર તરફ ધકેલે છે અને જઠરમાંથી એસિડ અન્નનળીમાં જાય છે.
  • તમારા અન્નનળીના નીચેનાં છેડે અને જઠર વચ્ચે સ્થિત વાલ્વ (ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર LES) પર દબાણ લાવતા ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો.
  • દરેક હાર્ટબર્નના દર્દીના પોતાના ટ્રિગર ખોરાક હોય છે એટલે કે એવાં ખોરાક કે જેનાથી તેમની હાર્ટબર્ન/ બળતરા વધે છે. દર્દીઓએ તેમના આહારમાં આવા ટ્રિગર ખોરાક/ ઉત્તેજક ખોરાક ટાળવા જોઈએ.
  • જો તમે ખોરાક લીધા પછી સૂઈ જાઓ છો અથવા વાંકા વળો છો, તો ખોરાક અને એસિડ સરળતાથી તમારા અન્નનળીમાં ઉપર જઈ શકે છે. આનાથી અન્નનળીના અલ્સર અને હાર્ટબર્ન થાય છે. ખાધા પછી થોડા સમય માટે સૂવાનું ટાળો. ઓછામાં ઓછા ત્રણ કલાક રાહ જુઓ.
  • મોડું ભોજન ટાળો. તમારું ભોજન વહેલું ખાઓ, ખાસ કરીને રાત્રિભોજન, જેથી તમારાં સૂતા પહેલા તમારું જઠર ખાલી હોય. અને આમ રિફ્લક્સની શક્યતા ઓછી થાય છે.
  • જો તમને રાત્રે અથવા સૂતી વખતે હંમેશા હાર્ટબર્ન થતું હોય, તો તમારા પલંગના માથા બાજુના ભાગને ઊંચો રાખો. જો આ શક્ય ન હોય, તો તમારા ગાદલા અને બોક્સ સ્પ્રિંગ વચ્ચે એક ફાચર(wedge) મૂકો જેથી તમારા શરીરને કમરથી ઉપર ઉઠાવી શકાય. વધારાના ઓશિકા મૂકી માથું ઊંચું કરવું સામાન્ય રીતે અસરકારક નથી.
  • ધૂમ્રપાન અને આલ્કોહોલ પીવાનું બંધ કરો. ધૂમ્રપાન અને આલ્કોહોલ પીવાથી અન્નનળીના નીચે આવેલા વાલ્વ (ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર LES) ની યોગ્ય રીતે કામ કરવાની ક્ષમતા ઓછી થાય છે. જો તમને હાર્ટબર્નની સમસ્યા હોય તો હાર્ટબર્નથી કાયમી રાહત મેળવવા માટે આ યોગ્ય ઉપાય છે.
  • વધુ માત્રામાં ખોરાક ખાવાથી એસિડ સાથે ખોરાકના સરળતાથી તમારી અન્નનળીમાં જવાની શક્યતા વધી જાય છે. તેથી, અતિશય ખાવાનું ટાળો. તેના બદલે, દિવસમાં ઘણી વખત થોડું થોડું ખાઓ.

હાર્ટબર્નના દર્દીઓ માટે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર પર અમારો વિડિઓ જુઓ.

હાર્ટબર્નની સારવાર – ડૉ. ચિરાગ ઠક્કરની વિશેષ સલાહ

ઘણી ઓવર-ધ-કાઉન્ટર (OTC) દવાઓ હાર્ટબર્ન/એસિડિટીમાં રાહત આપવામાં મદદ કરી શકે છે. તેનાં વિકલ્પોમાં શામેલ છે:

  • એન્ટાસિડ્સ, જે ગેસ્ટ્રિક એસિડને બેઅસર(તટસ્થ) કરવામાં મદદ કરે છે. એન્ટાસિડ્સ તાત્કાલિક રાહત આપી શકે છે. પરંતુ તેઓ ગેસ્ટ્રિક એસિડ દ્વારા અન્નનળીને થયેલા નુકસાનને સુધારી શકતા નથી.
  • H-2-રીસેપ્ટર એન્ટાગોનીસ્ટ(H2RAs), જે ગેસ્ટ્રિક એસિડ ઘટાડી શકે છે. H2RAs તે એન્ટાસિડ્સ જેટલા ઝડપથી કામ કરતા નથી, પરંતુ લાંબા ગાળાની રાહત આપી શકે છે.
  • પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ (PPIs), જેમ કે લેન્સોપ્રાઝોલ (lansoprazole (Prevacid 24HR)) અને ઓમેપ્રાઝોલ (omeprazole (Nexium 24HR, Prilosec OTC)), જે જઠર માં એસિડ ઘટાડી શકે છે.

જો ઓવર-ધ-કાઉન્ટર દવાઓથી રાહત ન થાય અથવા તમારે વારંવાર તે લેવી પડે છે, તો તમારા ડૉક્ટરને મળો. તમને પ્રિસ્ક્રિપ્શન દવા અને વધુ પરીક્ષણની જરૂર પડી શકે છે.

લાંબા સમય માટે દવાની જરૂર

LES વાલ્વની વધુ ગંભીર સમસ્યાઓ ધરાવતા દર્દીઓને લાંબા ગાળાની દવાની જરૂર પડી શકે છે. ઘણા દર્દીઓ એવા છે જે વર્ષોથી એન્ટાસિડ દવાઓ લઈ રહ્યા છે. એન્ડોસ્કોપી અને pH સ્ટડી સહિત યોગ્ય પરીક્ષણ, તમને લાંબા ગાળાની દવાઓની જરૂર પડશે કે નહીં તે નક્કી કરવામાં મદદ કરી શકે છે. આવા ઘણા દર્દીઓ માટે, લેપ્રોસ્કોપિક સર્જરી વધુ પસંદગીનો સારવાર વિકલ્પ હોઈ શકે છે.

સર્જરીની જરૂર

GERDના કેટલાક દર્દીઓને LES વાલ્વ નબળો પડવો અને હાયટસ હર્નિયા જેવી ગંભીર યાંત્રિક સમસ્યાઓ હોય છે. યાંત્રિક સમસ્યાને કારણે, કાં તો તેઓ PPI એન્ટાસિડ દવાઓ પર નિર્ભર છે અથવા તેઓ દવાઓ સાથે પણ તકલીફોનો સામનો કરી રહ્યા છે. આવા દર્દીઓ માટે, હાયટસ હર્નીયાને રીપેર કરવાં અને નવો વાલ્વ બનાવવા માટે લેપ્રોસ્કોપિક સર્જરી એક આદર્શ વિકલ્પ છે. સંપૂર્ણ તપાસ પછી કરવામાં આવેલી આ સર્જરી ઉત્તમ પરિણામો આપે છે. આનાથી જીવનની ગુણવત્તા સુધરે છે અને એન્ટાસિડ દવાઓની જરૂરિયાત ઓછી થાય છે. આ સર્જરી અલબત્ત, ખૂબ જ વિશિષ્ઠ સર્જરી છે અને તે મેનોમેટ્રી અને pH અભ્યાસ જેવા પરીક્ષણો પછી થવી જોઈએ, અને તે એવા સર્જન દ્વારા થવી જોઈએ જેની પાસે જરૂરી કુશળતા અને જ્ઞાન હોય.

તમારી સ્વાસ્થ્ય યાત્રા તમારી વ્યક્તિગત યાત્રા છે. ભલે તમે GERD/એસિડ રિફ્લક્સ, અને /અથવા IBSથી પરેશાન હોવ, યોગ્ય તબીબી અભિગમ ઘણો બધો ફરક લાવી શકે છે. ડૉ. ચિરાગનો અભિગમ દર્દીને સમજ આપવી, ચોકસાઈ અને સહાનુભૂતિપૂર્વકની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

જો તમે અમદાવાદમાં શ્રેષ્ઠ GERD, હાયટસ હર્નીયા, એસિડ રિફ્લક્સ, IBS કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ નિષ્ણાત ડૉક્ટરની શોધ કરી રહ્યાં છો, તો એવા નિષ્ણાતની શોધ કરો કે જે દર્દી-પ્રથમ અભિગમ સાથે પોતાની તબીબી કુશળતાને જોડે. હર્નીયાથી રિકવર થવાનો તમારો માર્ગ તમારા સારવારના વિકલ્પોને સમજવા અને વિશ્વાસુ તબીબ સાથે કામ કરવાથી શરૂ થાય છે. તે માટે અમારો સંપર્ક કરો. માર્ગદર્શન માટે અમને સંપર્ક કરો.

તમે ડૉ. ચિરાગ ઠક્કર સાથે વિડીયો કન્સલ્ટેશન બુક કરાવી શકો છો. એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે, +91-8156078064 અથવા +91-8469327630 પર કૉલ કરો.

કન્સલ્ટેશન માટે એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ અને ઓબેસિટી સર્જરીની મુલાકાત લો.

અમારી સાથે જોડાયેલા રહેવા માટે કૃપા કરીને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.

ADROIT એ GERDની સારવાર માટેના થોડા કેન્દ્રોમાંનું એક છે જ્યાં GERD સારવાર માટે દરેક સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ છે. જ્યાં એન્ડોસ્કોપી, ઈસોફેજીઅલ મેનોમેટ્રી, 24 કલાક pH વિથ ઇમ્પિડન્સ સ્ટડી સહિત દરેક મૂલ્યાંકન ટેસ્ટ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે અને જ્યાં સારવારમાં માત્ર સર્જરી જ નહીં પરંતુ લાંબા ગાળાના નિયમિત ફોલો-અપ સાથે ડાયેટ અને મનોવૈજ્ઞાનિક સહાયનો પણ સમાવેશ થાય છે, જેના પરિણામે અમારા દર્દીઓ માટે શ્રેષ્ઠ લાંબા ગાળાના પરિણામો પ્રાપ્ત થાય છે.

ડૉ ચિરાગ ઠક્કર એક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ અને વજન ઘટાડવાની બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી કરી રહ્યા છે. તેમના રસ અને કુશળતાના મુખ્ય ક્ષેત્રો GERD, હાયટસ હર્નીયા, એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન અને મેદસ્વિતા માટેની સર્જરી છે. જટિલ અને વારંવાર થતા હર્નિયાના કિસ્સામાં પણ લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી દર્દીઓને ઓછામાં ઓછા દુખાવા સાથે ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે અને સર્જરી પછી શ્રેષ્ઠ કાર્યાત્મક પરિણામો આપે છે. તેમને પિત્તાશયની પથરી દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક સર્જરીનો પણ બહોળો અનુભવ છે.

Dr. Chirag Thakkar
Best Hiatus hernia surgeon

Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery